અમદાવાદઃ ભાજપના દિગ્ગજ નેતા અને મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણનું નિધન થયું છે. તેમના નિધનથી ભાજપમાં શોકની લાગણી ફરી વળી છે. તેમના નિધનને લઈને ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે જણાવ્યું છે કે, મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ સાહેબ ના દુઃખદ અવસાન ના સમાચાર ખૂબ જ વ્યથિત કરે તેવા છે.તેમનું જાહેર જીવન સહુ કોઈ માટે પ્રેરકબની રહેશે.સદગત ના આત્માને પ્રભુ શાંતિ આપે એ જ પ્રાર્થના.. સહ શ્રદ્ધાંજલિ.


ખેડા જિલ્લાની મહેમદાવાદ બેઠક ઉપરથી ભાજપના મેન્ડેટ પરથી સુંદરસિંહ ચાર-ચાર ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમજ બે વખત મંત્રી પણ રહી ચૂક્યા છે. મહેમદાવાદ તાલુકાના ખાત્રજમાં રહેતા અને ભાજપના નેતા સુંદરસિંહ ભલાભાઇ ચૌહાણ નરેન્દ્ર મોદી સરકાર સમયે સુંદરસિંહ શ્રમ રોજગાર મંત્રી, સમાજ કલ્યાણ મંત્રી, સંસદિય સચિવ તરીકે સેવા આપી હતી.