અમદાવાદ: આખરે અમદાવાદ એરપોર્ટ કોરોનાની ઝપેટમાં આવી ગયું છે અને ટર્મિનલમાં ફરજ બજાવતા સીઆઇએસેફના બે જવાનો પોઝિટિવ આવતાં દોડધામ મચી ગઈ હતી. બે જવાનો પોઝિટિવ આવતાં અન્ય 15 જવાનોને આઈસોલેટ કરાયા છે. જેમને વારાફરથી બ્રિટિશ એરવેઝની છેલ્લી ત્રણ ફ્લાઈટના ડિપાર્ચર વખતે ડયુટી નિભાવી રહ્યા હતા.


બીજી તરફ ઇમિગ્રેશનને પણ ઓથોરિટીને સૂચન કર્યું છે કે ૧૦થી ૧૪ તારીખમાં બ્રિટિશ અને કેનેડાથી એક હજારથી મુસાફરો આવશે ત્યારે એરપોર્ટનો એરાઈવલ એરિયા સાંકળો હોવાથી કસ્ટમ્સનું હેન્ડ લગેજ સ્કેનિંગ મશિન ખસેડવામાં આવે અને છેલ્લો ૫ નંબર કન્વેયર બેલ્ટ શરૃ કરવામાં આવેતો વધુ જગ્યા મળે અને પ્રવાસીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે.

અમદાવાદ એરપોર્ટમાં આખરે કોરોનાની એંટ્રી થઈ છે. CISFના બે જવાનોને કોરોના પોઝિટિવ આવ્યો છે. બંન્ને જવાનો બે દિવસ પહેલા જ ટર્મિનલ પર તૈનાત હતાં. બન્ને જવાન સાથે એરપોર્ટ પર ડ્યુટી પર હતા તેવા 15 CISFના જવાનોને કોરેન્ટાઈન કરાયા હોવાની માહિતી મળી છે.