Lok Sabha Election 2024 Live: રાષ્ટ્રીય કરણી સેનાના મહિપાલ સિંહ મકરાણાની અમદાવાદ પોલીસે કરી અટકાયત

લોકસભાન ચૂંટણીના લઇને કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. તો બીજી તરફ રાજ્યમાં રૂપાલા વિરોધની વચ્ચે કરી રહ્યાં છે ચૂંટણી પ્રચાર. જાણીએ લોકસભાની ચૂંટણીની પળેપણની અપડેટ્સ

gujarati.abplive.com Last Updated: 06 Apr 2024 02:28 PM
રૂપાલાના વિવાદિત નિવેદનમાં હવે કરણી સેનાના મહિપાલ સિંહની એન્ટ્રી

Loksabha Election 2024: રૂપાલાના નિવેદનના વિવાદમાં હવે કરણી સેનાના અધ્યક્ષ મહિપાલ મકરાણાની એન્ટ્રી થઇ છે. મહિપાલસિંહ મકરાણાને અમદાવાદ બોપલ પોલીસે રોક્યા હતા. જેના કારણે પોલીસ અને મહિપાલ સિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. 30 મિનિટની રકઝક બાદ પોલીસે મહિપાલ સિંહની અટકાયત કરી છે.

Loksabha Election 2024: બનાસકાંઠા જિલ્લા કૉંગ્રેસને ઝટકો

લોકસભાની ચૂંટણી સમયે ભાજપમાં વેલકમ પાર્ટી સતત ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લા કૉંગ્રેસે  વધુ એક ઝટકો લાગ્યો છે. આજે થરાદ યુથ કૉંગ્રેસના પ્રમુખ અલ્પેશ જોશી  ભાજપમાં જોડાશે, અલ્પેશ જોશી સમર્થકો સાથે CMની હાજરીમાં  ભાજપમાં જોડાશે. આગામી દિવસોમાં ડી.ડી.રાજપૂત પણ સમર્થકો સાથે  ભાજપમાં જોડાશે.  

Loksabha Election 2024: રૂપાલાના વિવાદિત નિવેદન પર રૂપાણીની પ્રતિક્રિયા

રાજકોટ લોકસભા બેઠકના પરશોતમ રૂપાલા ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદન મુદ્દે રાજ્યના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ પહેલી વખત મૌન તોડતા નિવેદન આપ્યું છે. તેઓ પરશોતમ રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યા છે. ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, મને વિશ્વાસ  છે કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહેશે.પરશોત્તમભાઈએ માગેલી માફીને ક્ષત્રિયો  માફ કરશે.નાની મોટી નારાજગી વચ્ચે પણ કાર્યકરો ભાજપ સાથે જ છે. કોંગ્રેસ આ મુદ્દે માત્ર  રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે.

Lok Sabha Election2024 LVE: ક્ષત્રિયોના વિરોધની વચ્ચે દ્વારકાના ખંભાળીયામાં સી.આર.પાટીલનો કાર્યક્રમ

ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે ભાજપ રૂપાલાને રાજકોટથી મેદાને ઉતારવાના નિર્ણય પર અડગ છે. ત્યારે  દ્વારકાના ખંભાળીયામાં સી.આર.પાટીલના  કાર્યક્રમાં કોઇ અનિચ્છિય ઘટના ન બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.ઉલ્લેખનિય છે કે, રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજે  પાટીલના વિરોધની પણ  જાહેરાત કરી છે.

Lok Sabha Election2024 LVE:રાજકોટ બેઠક પર ઉમેદવારને લઈ કૉંગ્રેસમાં મંથન

રાજકોટ બેઠક પર ઉમેદવારને લઈ કૉંગ્રેસમાં મંથન  ચાલી રહ્યું છે. ઉમેદવાર જાહેર કરવાને લઈ કૉંગ્રેસની થોભો અને રાહ જોવોની નીતિ અપનાવી છે. ઉલ્લેખનિય છે કે, રૂપાલાના નિવેદન બાદના વિવાદ પર કૉંગ્રેસ નેતૃત્વની નજર છે. વિવાદ યથાવત રહેશે તો કૉંગ્રેસ લેઉવા પાટીદારને ટિકિટ આપે તેવી શક્યતા છે. પરેશ ધાનાણીને ઉમેદવારી માટે સમજાવાય તેવી પણ શક્યતા જોવાઇ રહી છે.

Lok Sabha Election2024 LVE:પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં મકાન બદલ્યું

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે સુરક્ષાના કારણોસર પરશોત્તમ રૂપાલાએ મકાન બદલ્યું છે અન તેઓ હવે અમીન માર્ગ પર આવેલા તેમના  ફ્લેટમાં રહેવા ગયા છે. રૂપાલાના જૂના  ઘર બહારથી પોલીસ સિક્યુરિટી હટાવામાં આવી છે.

Lok Sabha Election2024 LVE:રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત

લીંબડીના અલગ અલગ વિસ્તારોમાં રૂપાલાના વિરોધમાં  બેનરો લાગ્યા છે. રૂપાલા હટાવો, સ્વમાન બચાવોનું બેનરોમાં લખાણ જોવા મળી રહ્યાં છે. બોયકોટ રૂપાલાના લખાણ સાથેના બેનર્સ સાથે ક્ષત્રિય સમાજ સતત તેનો વિરોધ કરી રહ્યો છે.

Lok Sabha Election2024 LVE:રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં લાગ્યા હોર્ડિંગ્સ

રાજકોટમાં પોસ્ટર વોર ચાલી રહી છે. ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરોધમાં પોસ્ટર લગાવી રહ્યાં છે. તો બીજી તરફ રેસકોર્સ રિંગરોડ સહિતના વિસ્તારોમાં રૂપાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. 'રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ'ના હોર્ડિંગ્સમાં લખાણ જોવા મળ્યાં છે, બહુમાળી ચોક પર રૂપાલાનું વિશાળ હોર્ડિગ્સ  લાગ્યું છે.

Lok Sabha Election 2024 Live:'માણિક સરકાર ભાજપમાં જોડાશે'

ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લબ દેબે CPIM ના માણિક સરકારને  , 'અપવિત્ર ગઠબંધન  ( ઇન્ડિયા ગંઠબંધન) છોડીને ભાજપમાં જોડાવા કહ્યું

Lok Sabha Election 2024 Live:કોંગ્રેસે ત્રિપુરા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે ત્રિપુરા માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પ્રચારકોમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના ઘણા નેતાઓ સામેલ છે.

Lok Sabha Election 2024 Live:જી કિશન રેડ્ડીએ ભાજપનો સ્થાપના દિવસ ઉજવ્યો

તેલંગાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જી કિશન રેડ્ડી સહિતના પક્ષના નેતાઓએ હૈદરાબાદમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.

Lok Sabha Election 2024 Live:રાજનાથ સિંહે પાર્ટી કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભાજપના સ્થાપના દિવસ પર કહ્યું, "હું પાર્ટીના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું જેમણે ભાજપને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની નંબર વન રાજકીય પાર્ટી બનાવી છે.

Lok Sabha Election 2024 Live:કોંગ્રેસનો ઢંઢેરો એક ઐતિહાસિક દસ્તાવેજ છે - પ્રમોદ તિવારી

કોંગ્રેસના મેનિફેસ્ટો પર સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું છે કે તેમને આ મેનિફેસ્ટો અને દેશના કામદારો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓને આપવામાં આવેલી ગેરંટી પર ગર્વ છે. આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે દેશની સમસ્યાઓનું સમાધાન કરે છે

Lok Sabha Election 2024 Live: 'વિકસિત ભારતના વિઝન માટે કામ કરશે'

  ભાજપના સ્થાપના દિવસ પર યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે, આજે ઘણા લોકો ભાજપમાં જોડાયા છે. હું તે બધાનું સ્વાગત કરું છું અને અભિનંદન આપું છું. અમે સાથે મળીને PM નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝન માટે કામ કરીશું.

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.        


બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.                                                      

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.