અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે, ત્યારે હવે ગુજરાતમાં 3 જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ જિલ્લાઓમાં તાપી, મોરબી અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ જિલ્લામાં 5 કરતાં ઓછા કોરોનાના એક્ટિવ કેસો છે.


આ જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં એક જ એક્ટિવ કેસ છે. આ પછી પોરબંદરમાં 2 એક્ટિવ કેસ છે. પોરબંદરમાં અગાઉ 10 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે 2 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના 4 એક્ટિવ કેસો છે. અગાઉ 15 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ એક વ્યક્તિનું મોત થયું છે.

આ ત્રણ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી. ત્યારે આ જિલ્લાઓ હવે કોરોનામુક્ત થવાની સંભાવના વધી ગઈ છે. ગુજરાતમાં હાલ, ડાંગ જિલ્લો એકમાત્ર કોરોનામુક્ત છે.