અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે ગઈ કાલે રાજ્યમાં નવા 1326 કેસ નોંધાયા હતા. જ્યારે તની સામે 1205 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ રાજ્યમાં કુલ 15 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 4, સુરતમાં 4, સુરત શહેરમાં 2, ભરુચમાં 1, ભાવનગરમાં 1, રાજકોટ શહેરમાં 1, વડોદરા 1 અને વડોદરા શહેરમાં 1નું મોત થયું છે.


ગઈ કાલે સુરત શહેરમાં સૌથી વધુ 175 કેસ નોંધાયા છે. જેની સામે 185 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી અમદાવાદ શહેરમાં 151 કેસ નોંધાયા હતા. જેની સામે 135 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી સુરત ગ્રામ્યમાં 106 કેસ નોંધાયા હતા, તો 115 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી જામગનગર શહેરમાં 99 કેસ નોંધાયા હતા. તો 109 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ રાજકોટ શહેરમાં 99 કેસ નોંધાયા હતા. જેની સામે 101 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.