આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના કુલ 493 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 23 લોકોના મોત નિપજ્યાં છે. અમદાવાદમાં ગઈકાલ સાંજથી અત્યાર સુધી નવા 23 કેસ નોંધાયા છે જ્યારે એકનું મોત નિપજ્યું છે. આ સાથે જ અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંકડો 266 પર પહોંચી ગયો છે.
ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં અમદાવાદમાં નવા 23 કેસ નોંધાયા છે. જેમાં બહેરામપુરા, કાલુપુર, ઘોડાસર, મણિનગર, દાણીલીમડા, જમાલપુર અને રાણીપનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં કુલ 11 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોને સંપૂર્ણ પણે લોકડાઉનની ચુસ્તપણે પાલન કરાવાઈ રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં કામ વગર બહાર નીકળતાં સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.