અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ હાલ અમદાવાદમાં છે. અમદાવાદ શહેરમાં જ કોરોનાના કુલ એક્ટિવ કેસો 3500ને પાર થઈ ગયા છે, ત્યારે શહેરીજનો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં કોરોનાને માત આપનાર લોકો અને તબીબી ફરીથી સંક્રમિત થતાં ચિંતા વધી ગઈ છે.


મળતી વિગતો પ્રમાણે LG હોસ્પિટલના તબીબો બાદ SVP ના તબીબ કોરોનાથી પુનઃ સંક્રમિત થયા છે. મેડિસિન વિભાગના તબીબએ ગત મહિને કોવિડ આવ્યા બાદ સારવાર કરાવી હતી. સોમવારે કોવિડ ટેસ્ટ કરાવતા ફરી પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

એક મહિનાના ટૂંકા ગાળામાં કોવિડ પોઝિટિવ થવાની પ્રથમ ઘટના છે. કોરોના બાદ એન્ટીબોડી બનવાની શારીરિક સ્થિતિ પર ગંભીર પ્રશ્ન ઉભા થયા છે.