અમદાવાદ : અમદાવાદમાં આજે વધુ નવા 197 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 2378 પર પહોંચી છે. અમદાવાદમાં વધુ પાંચ લોકોના મોત થયા છે આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 109 લોકોના મોત થયા છે, જ્યારે 212 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 247 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 11 લોકોનાં મોત થયા છે. એકલા અમદાવાદમાં જ પાંચ લોકોના મોત થયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 72 લોકો સ્વસ્થ થયા છે.

અમદાવાદમાં આજે જે નવા 197 કેસ નોંધાયા છે તેમાં અસારવા, દાણીલીમડા,મણિનગર, પાલડી,ગોમતીપુર, દુધેશ્વર, વટવા, જમાલપુર, શાહઆલમ સહિતના વિસ્તારોના પોઝિટિવ કેસ નોંધાયા છે.