અમદાવાદ: અમદાવાદમાં આજે વધુ નવા 249 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 3026 પર પહોંચી છે. અમદાવાદમાં વધુ 12 લોકોના મોત થયા છે આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 149 લોકોના મોત થયા છે, જ્યારે 316 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 313 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 17 લોકોનાં મોત થયા છે. અમદાવાદમાં 12 લોકોના મોત થયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 53 લોકો સ્વસ્થ થયા છે.

અમદાવાદમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલ કુલ કેસ પૈકી માત્ર અમદાવાદમાં 249 નવા કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 13, વડોદરા-19, ભાવનગર-4, આણંદ-3, ગાંધીનગર-10, પંચમહાલ- 10, મહેસાણા-3, અરવલ્લી અને દાહોદમાં એક-એક નવા કેસ સામે આવ્યા છે.

આજે અમદાવાદમાં-12, સુરતમાં- 3, વડોદરા અને આણંદમાં એક એક મોત થયા છે. કુલ મૃત્યુઆંક 214 પર પહોંચ્યો છે.