અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. જોકે, અત્યારે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં હર્ડ ઇમ્યુનિટીને લઈને મોટો ખુલાસો થયો છે. હર્ડ ઇમ્યુનિટી અંગે જૂન 2020માં 30,000થી વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પહેલા સર્વે બાદ ઓગષ્ટ મહિનામાં સિરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.


આ સર્વે પ્રમાણે 45 દિવસના અંતરમાં નાગરિકોમાં કોરોના સામે લડવાની શક્તિ માત્ર 5.5 ટકા વધી છે. તબીબોના મતે 65 લાખના મતે 5.5 ટકા લોકોમાં કોરોના સામે લડવાની શક્તિ ખુબ સામાન્ય છે. કોરોના સંક્રમણ થયા બાદ માર્ચથી જુલાઈ સુધીના 1800 કેસ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું.

1800 પૈકી 720 નાગરિકોમાં કોરોના સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ જોવા મળી છે. અમદાવાદ શહેર હર્ડ ઇમ્યુનિટીથી હજી ઘણું દૂર હોવાનો તબીબોનો દાવો છે.