અમદાવાદમાં કોરોના વાઈરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેમાં એક 28 વર્ષીય ઋષિતા નામની મહિલાને અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાઈ છે. મહિલાની સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે. તેમજ મહિલા દર્દીને કોરોના વાઈરસ છે કે નહીં તે અંગેની તપાસ કરવા માટે પૂણેની લેબમાં બ્લડ સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે.
આ મહિલા થાઈલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી હતી. આ મહિલા 25 જાન્યુઆરીએ પતિ સાથે ફરવા માટે થાઈલેન્ડ ગઈ હતી અને 3 ફ્રેબુઆરીએ અમદાવાદ પરત ફરી હતી.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગુણવંત રાઠોડે જણાવ્યું કે, કોરોના વાઇરસનો એક શંકાસ્પદ કેસ દાખલ થયો છે, જેનો રિપોર્ટ બુધવાર સુધીમાં આવશે.