અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સીએમ વિજય રૂપાણીને રેમડીસીવર ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. સીટી સ્કેન બાદ વાયરસનો લોડ વધવાના કારણે ઇન્જેક્શન અપાયું છે.


સીએમ વિજય રૂપાણીની તબિયતમાં સુધાર થઈ રહ્યો હોવાનો સુત્રોનો દાવો છે. ઝડપથી રિકવરી આવે તે માટે રેમડીસીવર ઇન્જેક્શનનો કોર્સ કરવા નિર્ણય લેવાયો છે. 10 સિનિયર તબીબોની ટીમ દ્વારા સીએમની સારવાર કરાઈ રહી છે.