કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી રૂપાણીની તબિયતને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Feb 2021 02:06 PM (IST)
આજે સીએમ વિજય રૂપાણીને રેમડીસીવર ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. સીટી સ્કેન બાદ વાયરસનો લોડ વધવાના કારણે ઇન્જેક્શન અપાયું છે.
(ફાઈલ તસવીર)
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સીએમ વિજય રૂપાણીને રેમડીસીવર ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. સીટી સ્કેન બાદ વાયરસનો લોડ વધવાના કારણે ઇન્જેક્શન અપાયું છે. સીએમ વિજય રૂપાણીની તબિયતમાં સુધાર થઈ રહ્યો હોવાનો સુત્રોનો દાવો છે. ઝડપથી રિકવરી આવે તે માટે રેમડીસીવર ઇન્જેક્શનનો કોર્સ કરવા નિર્ણય લેવાયો છે. 10 સિનિયર તબીબોની ટીમ દ્વારા સીએમની સારવાર કરાઈ રહી છે.