અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા પણ એક પછી એક રાહત આપવામાં આવી છે. હવે અમદાવાદમાં AMTS અને BRTS ની તમામ બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. AMTS ની 575 બસો અને BRTSની 250 બસો દોડાવવા નિર્ણય લેવાયો છે. 


સોમવારથી અમદાવાદ શહેરમાં તમામ બસો દોડાવવા નિર્ણય લેવાયો છે. 50 ટકા ક્ષમતા સાથે AMTS અને BRTS ની બસો દોડાવવામાં આવશે. તમામ શરતોને આધીન સંપૂર્ણ બસો દોડાવવા નિર્ણય લેવાયો છે. 






રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 481  કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 9   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9985 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1526  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.36  ટકા છે.


 



ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે ગુરુવારે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,86,459 વ્યક્તીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 1526 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.36 ટકા છે.


 


રાજ્યમાં અત્યાર સુધી 7,97,734 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 11657 પર પહોંચ્યો છે. જેમાંથી 296 દર્દી વેન્ટિલેટર પર અને 11361  લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.36 ટકા છે. 


 


ક્યાં નોંધાયા કેટલા કેસ ?









 


 


રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 69, સુરત કોર્પોરેશનમાં 62, વડોદરા કોર્પોરેશનમાં 51, વડોદરામાં 37, રાજકોટ કોર્પોરેશનમાં 24, સુરત 23,  જૂનાગઢમાં 20, ગીર સોમનાથ 15, જામનગર કોર્પોરેશન 15, અમરેલી 12, ભરુચમાં 12, આણંદમાં 11, નવસારી 10, મહીસાગરમાં 10, રાજકોટમાં 10, જૂનાગઢ કોર્પોરેશન 9,  ખેડામાં 9,  પોરબંદરમાં 9, ગાંધીનગર કોર્પોરેશન 8, વલસાડમાં 8, દેવભૂમિ દ્વારકા 7,  કચ્છમાં 7, પંચમહાલ 6,  સાબરકાંઠામાં 6,  મહેસાણામાં 5, બનાસકાંઠા 4, ગાંધીનગર 4, જામનગર 4, અમદાવાદ 3, નર્મદા 3, ભાવનગર કોર્પોરેશન 2, મોરબી 2, અરવલ્લી 1, ભાવનગર 1, ડાંગ 1 અને સુરેન્દ્રનગર 1 કેસ સાથે કુલ 481 કેસ નોંધાયા છે. 


 


ક્યાં કેટલા મોત થયા ?


 


રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 9 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2,  સુરત કોર્પોરેશન 1,  મહીસાગર, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન અને તાપીમાં 1-1 દર્દીઓના મોત થયા છે. 


 


રાજ્યમાં સાજા થવાનો દર 97.36 ટકા છે. અત્યાર સુધીમાં 1,97,35,809 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 2,86,459 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.