અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. જોકે, દક્ષિણ ગુજરાતમાં કોરોનાના નવા કેસો હજુ પણ આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત નહીં, પરંતુ વલસાડમાં સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસો છે. ગઈ કાલે રાજ્યમાં સૌથી વધુ વલસાડમાં 6 કેસ નોંધાયા હતા. 


આમ, ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસ વલસાડમાં 46 છે. આ પછી અમદાવાદમાં 28, સુરતમાં 20, વડોદરામાં 16, નવસારીમાં 12 એક્ટિવ કેસ છે. આ સિવાયના જિલ્લાઓમાં 0 થી 9 સુધીના એક્ટિવ કેસો છે. ગુજરાતાં અત્યારે કુલ 156 એક્ટિવ કેસો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 80 એક્ટિવ કેસો છે. 


ગુજરાતમાં કોરોનાના નવા 13  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 33  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  3,53,069 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 6, અમદાવાદ કોર્પોરેશનમાં 2, નવસારી 2, સુરત કોર્પોરેશનમાં 2, જામનગર 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 156  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 152 નાગરિકો સ્ટેબલ છે. 8,16,110 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10087 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 6, અમદાવાદ કોર્પોરેશનમાં 2, નવસારી 2, સુરત કોર્પોરેશનમાં 2, જામનગર 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.  


 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2002 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 17139 નાગરિકોને રસીનો પ્રથમ અને 82257 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 53219 નાગરિકોને રસીનો પ્રથમ અને 197843 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,53,069 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,80,00,970 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 









અમદવાદ, અમરેલી,આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ,  રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત,   સુરેન્દ્રનગર, તાપી,  વડોદરા  અને વડોદરા કોર્પોરેશનમાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.