Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે હવે ભાજપના ઉમેદવારોની જાહેરાત લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપની ઉમેદવાર પસંદગીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 9 અને 10 તારીખે દિલ્લીમાં કેન્દ્રીય પર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. રાજ્ય પર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તૈયાર થયેલી પેનલ અંગે દિલ્હીમાં ચર્ચા થશે. 10 તારીખ સુધીમાં ભાજપના તમામ 182 ઉમેદવારોને આખરી મંજૂરી મળશે. તેમજ આ પછી ગમે ત્યારે ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે.
Gujarat Election 2022 : આજે ભાજપ કઈ કઈ બેઠકોના ઉમેદવારોની પેનલ થશે તૈયાર? જાણો સંપૂર્ણ વિગતGujarat Election 2022 : ભાજપની પ્રદેશ પર્લામેંટ્રી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે. આજે 15 જિલ્લાની 58 બેઠકોના ઉમેદવારો આંગે બેઠકમાં ચર્ચા થશે. ચર્ચાના અંતે 58 બેઠકો અંગેના ઉમેદવારોની પેનલ તૈયાર થશે. ગાંધીનગર જિલ્લા અને શહેરની 5 બેઠક માટે ચર્ચા થશે. મહેસાણાની 7, અમરેલીની 5 અને બોટાદની 2 બેઠકની ચર્ચા થશે.
અમદાવાદ જિલ્લાની 5, ભાવનગર જિલ્લાની 5 અને ભાવનગર શહેરની 2 બેઠક માટે ચર્ચા થશે. ખેડાની 6, પંચમહાલની 5, નવસારીની 4 અને ભરૂચની 5 જિલ્લાની બેઠકો અંગે ચર્ચા થશે. જામનગર શહેરની 2, જામનગર જિલ્લાની 3 અને દેવભૂમિ દ્વારકાની 2 બેઠક અંગે ચર્ચા થશે. ગુરુવારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 47 બેઠકોના ઉમેદવારો અંગે ચર્ચા પૂર્ણ કરાઈ છે.
Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. કેજરીવાલ શુક્રવારે રાજ્યના લોકોના અભિપ્રાયના આધારે તેમની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. પાર્ટીના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે. 29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.
મુખ્યમંત્રી પદ માટે આ નામ છે રેસમાંઃ
અરવિંદ કેજરીવાલે લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું. તેના આધારે 4 નવેમ્બરે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી પદની રેસમાં AAP નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય છે. કેજરીવાલ શુક્રવારે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.