ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે. બપોરે ૧:૩૦ વાગ્યે  હવાઇ માર્ગે મુખ્યમંત્રી રવાના થશે.  મુખ્યમંત્રી બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે.  ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે.




મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગઈ કાલ કરતા આજે વરસાદ નું પ્રમાણ અને જોર ઘટ્યું છે. આવતી કાલ થી રાજકોટ જામનગર અને કચ્છમાં રેડ એલર્ટ છે. તંત્રને સુસજજ રહેવા કહેવાયું છે. સાંજ બાદ નુક્શાનીના સર્વેની કામગીરી શરૂ થશે. 18 એનડીઆરએફ ની ટિમો હાલ ડિપોલોઇડ કરવામાં આવી છે. 511 વ્યક્તિઓ ને રેસકયું કરવા પડ્યા છે. ગઈ કાલે નર્મદાના કરજણ ખાતે 21 વ્યક્તિઓને નદીમાં વહેણમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. 17896 લોકોનું સ્થળાંતરણ કરવું પડ્યું છે. 9671 લોકો ને ફરી ઘરે પહોંચાડી દીધા છે. 73 બસ રૂટ બંધ છે. 124 ગામોમા વીજળી ડુલ થઈ હતી જે પૈકી મોટાભાગના ગામમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત થઈ જશે.


રોડ પર પાણી નીકળતું હોય ત્યારે ત્યાંથી પસાર થવાનો પ્રયાસ ન કરવો.   6 જેટલા લોકોના મૃત્યુ ના બનાવો બન્યા છે પણ તેમાં તંત્ર ની ભૂલ ન હતી.   3 ઓટો રીક્ષા પર ઝાડ પડ્યું દહેગામમા. ત્રણ મૃત્યુ થયા. વલસાડમા વેનમા બેસેલા 4 વ્યક્તિએ ચેક ડેમ પરથી રસ્તો પસાર કરવાનો પ્રયાસ કર્યો જેમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા, જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો. 69 મૃત્યુની ઘટના વરસાદની સિઝનમા ગુજરાતમાં થયા છે.


Gujarat Rain : આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં અપાયું રેડ એલર્ટ?


અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને નર્મદામાં રેડ આપવામાં આવ્યું છે.


આ સિવાય પોરબંદર, જુનાગઢ, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ત્રણ કલાકમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.