અમદાવાદઃ આશ્રમમાં ભણતી સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈના ફરી એક વાર જામીન મંજૂર કરાયા છે. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી જામીન આપ્યા છે. નારાયણ સાઈની માતાની 1 ફેબ્રુઆરીએ હાર્ટ સર્જરી હોવાથી તેના જામીન મંજૂર કરાયા છે. જામીન દરમિયાન નારાયણ સાઈ અમદાવાદ કે સુરત આશ્રમની મુલાકાત નહીં લઈ શકે અને તેની માતાની સારવાર ચાલી રહી છે એ હોસ્પિટલની જ મુલાકાત લઈ શકશે. નારાયણ સાઈએ 10 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ આપવા પડશે અને તેની સાથે રહેનારા પોલીસનો ખર્ચ પણ ઉઠાવવાનો રહેશે.


આ પહેલાં હાઈકોર્ટે ડીસેમ્બરમાં પણ નારાયણ સાઈને તેની માતાની સારવાર માટે 14 દિવસના પેરોલ આપ્યા હતા. નારાયણ સાઈ પણ સુરતની સાધ્વી સામે બળાત્કારના આરોપમાં સુરતની લાજપોર જેલમાં બંધ છે. ડિસેમ્બર 2013માં બળાત્કારના કેસમાં નારાયણ સાંઈની હરિયાણાથી ધરપકડ થયા બાદ તે પહેલી ગયા મહિને વાર જેલની બહાર આવ્યો હતો. સુરતની લાજપોર જેલમાંથી બહાર આવતાં જ નારાયણ સાંઈએ જણાવ્યું હતું કે, સાત વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો છું. માતાની તબિયત માટે જામીન મળતા કોર્ટ અને રાજ્ય સરકારનો આભાર માનું છું. લોકોને આગ્રહ છે કે, વધુ ભીડ ડ ના કરે અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવે. કોવિડના નિયમોનું પાલન કરે તેવો હું લોકોને આગ્રહ કરું છું

નારાયણ સાંઈએ માતાની તબિયત ખરાબ હોવાથી જામીન માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે ફર્લો જામીન મંજૂર કરતાં 5000 રૂપિયાના બોન્ડ જેલમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો. નારાયણ સાંઈએ આ અગાઉ પણ 10 દિવસના જામીન માટે અરજી કરી હતી પણ તેની અરજી નકારી કઢાઈ હતી.

નારાયણ સાંઈએ હાઇકોર્ટમાં નવેસરથી અરજી કરી હતી કે, તેની માતાની તબિયત ખરાબ છે અને અગાઉ આવેલા હાર્ટ એટેકને લીધે હૃદય માત્ર 40 ટકા જ કામ કરે છે.તેણે પરિવારને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાત હાઈકોર્ટે તેની અરજી સ્વીકારીને નારાયણ સાંઈને 5000 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ જેલ સત્તાધીશો સમક્ષ જમા કરાવવાનો નિર્દેશ કરી ફર્લો મંજૂર કર્યા હતા. સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે નારાયણ સાંઈના પિતા આશાસારામને આજીવન કેદની સજા ફટકારી છે. તે હાલ જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે.