દર્દીઓની સારવાર યોગ્ય થવી જોઈએ, દર્દીઓને એવું ના લાગવું જોઈએ કે એમની સારવાર પશુઓની જેમ થાય છે, તેવું અવલોકન ગુજરાત હાઈકોર્ટે કર્યું હતું. ગુજરાત બહારના શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા 8500 એસ.ટી. બસો દોડાવવા માંગ કરવામાં આવી. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરેલી અરજીમાં આ માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકારે 140 જેટલા પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું, શ્રમિકોને એમના વતનમાં પહોંચાડવા માટે સરકાર જરૂરી પગલાં લે.
નોંધનીય છે કે, અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં માઇગ્રન્ટ વર્કર, કોરોના વોરિયર્સ અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે લેવાતી મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી.