ગુજરાતના સરહદી ગામોની પોલીસને તપાસના આદેશ, ડૉગ સ્કવૉડ અને મેટલ ડીટેક્ટરથી તપાસ
abpasmita.in | 01 Oct 2016 10:07 PM (IST)
અમદાવાદઃ POKમાં સર્જીકલ સ્ટ્રાઈક બાદ કચ્છની સરહદ પર બીએસએફને સતર્ક કરવામાં આવી છે. દરિયામાં માછીમારોને અલર્ટ કરાયા છે. કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો પોલીસને જાણ કરવા માછીમારોને આદેશ કરાયો છે. તો બીજી તરફ પાટણ જિલ્લાની સરહદી વિસ્તારમાં આવેલા ગામડાઓમાં પોલીસ ડૉગ સ્કવૉડ અને મેટલ ડીટેક્ટરથી તપાસ હાથ ધરી હતી. આ સિવાય હાઇવે પરની હોટેલો અને શંકાસ્પદ જગ્યાઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજ્યના સરહદી વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં સરપંચ સાથે મળીને શકમંદ જણાતા લોકો અંગે પણ પોલીસે જાણ કરવા માટે સૂચના આપવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.