Har Ghar Tiranga Yatra: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમદાવાદમાં 'હર ઘર તિરંગા યાત્રા'નો પ્રારંભ કરાવશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે અમદાવાદમાં ભાજપની 'હર ઘર તિરંગા યાત્રા'ને લીલી ઝંડી આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતીય ધ્વજના પ્રદર્શનના માધ્યમથી રાષ્ટ્રીય ગૌરવ અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે અને અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં 'હર ઘર તિરંગા યાત્રા'નો સાંજે 4.30 વાગ્યે શરૂ થશે.






ભાજપે શરૂ કર્યું 'હર ઘર તિરંગા અભિયાન'


આ અભિયાન દેશભક્તિ અને રાષ્ટ્રીય ઓળખની ભાવનાને મજબૂત કરવા સાથે નાગરિકોને તેમના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક વ્યાપક અભિયાન પહેલનો એક ભાગ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશભરમાં 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કર્યું છે. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે નાગરિકોને દરેક ઘર, દુકાન અને ઓફિસ પર તિરંગો ફરકાવવા વિનંતી કરી હતી.






પીએમ મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરી હતી


અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગ રૂપે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસરે નાગરિકોને તેમના ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરી હતી. 28 જૂલાઈના રોજ 112મી 'મન કી બાત'માં વડાપ્રધાન મોદીએ તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે 'હર ઘર તિરંગા' અભિયાનમાં ભાગ લેવા આહવાન કર્યું હતું.


 તે ક્યારે શરૂ થયું?


'હર ઘર તિરંગા' એક અભિયાન છે જે આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ છે. ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણીમાં લોકોને તિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરવા માટે 2021માં તે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અભિયાન પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.