આગામી ત્રણ દિવસ સુધી રાજ્ય પર ક્યાર વાવાઝોડાની અસર વર્તાશે તેમ માનવામાં આવી રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મહિસાગર અને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
abpasmita.in | 29 Oct 2019 09:44 AM (IST)
આગામી ચાર દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે.
અમદાવાદ: ‘ક્યાર’ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ત્યારે આગામી ચાર દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. જેમાં ખાસ કરીને દ્વારકા અને કચ્છમાં વરસાદ પડે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ક્યાર’ વાવાઝોડાની ચેતવણીને પગલે અને દિવાળીના તહેવારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી વેરાવળ, પોરબંદર તેમજ અમરેલી જિલ્લાના બંદરો સહિતના સ્થળોએ 2 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા હતાં. જોકે વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો પરંતુ તેની અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. ‘ક્યાર’ વાવાઝોડાને કારણે અમદાવાદ સહિત ગુજરાતના હવામાનમાં મોટો પલ્ટો આવ્યો છે. જેમાં સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઠેક-ઠેકાણે ઝરમર-ઝરમર વરસાદ ખાબક્યો હતો. જોકે દક્ષિણ ગુજરાતના અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.