અમદાવાદ: હાલ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નવરાત્રીનું પહેલું અને બીજું નોરતું ખેલૈયા માટે નિરાશાજનક જોવા મળ્યું હતું. ભારે વરસાદને કારણે અમદાવાદ, વડોદરા સહિતનાં જગ્યાઓએ ગરબા રદ્દ કરી દેવામાં આવ્યા હતાં.

ગુજરાત પર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાના કારણે છેલ્લા 3-4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જોકે હવે ખેલૈયાઓ માટે વરસાદને લઈને સારા સમાચાર આવ્યા છે. આગામી 2 ઓક્ટોબર બાદ વરસાદ ગુજરાતમાં નહીંવત રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 1 ઓક્ટોબરે રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે અને તેનું જોર વધારે હશે. 2 ઓક્ટોબરથી આ સિસ્ટમ નબળી પડતી જશે પરંતુ ચોમાસાની વિદાયના કોઈ સંકેત હજુ સુધી નથી મળ્યાં. 2 ઓક્ટોબરથી સિસ્ટમ નબળી પડવાના કારણે વરસાદનું પ્રમાણ આવનારા દિવસોમાં નહીવત રહેશે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, આ સિસ્ટમ 2 ઓક્ટોબરથી નબળી પડવાના કારણે 2 ઓક્ટોબર પછીના દિવસોમાં વરસાદની વધારે અસર જોવા મળશે નહીં. 1 ઓક્ટોબરે મહિસાગર, ગાંધીનગર અને ખેડાની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.