અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણ લોકોમાં ફફડાટ છે ત્યારે લોકોને કોરોના અંગે માર્ગદર્શન આપવા માટે અમદાવાદ મેડિકલ એસોસિએશને હેલ્પલાઈન નંબર્સ જાહેર કર્યા છે.



આવતી કાલ સોમવાર ને 17 જાન્યુઆરીથી શરૂ થનારી હેલ્પલાઈન સેવાન મોબાઈલ નંબર પર ફોન કરીને કોઈ પણ વ્યક્તિ સવારે 9 વાગ્યા થી રાતે 9 વાગ્યા સુધી વિના મૂલ્યે માહિતી મેળવી શકશે. મેડિકલ એસોસિએશને નિષ્ણાત ડોક્ટરોના નંબર જાહેર કર્યા છે અને લોકોને સીધો ડોક્ટરનો સંપર્ક કરીને પોતાની તકલીફ વિશે સવાલ કરી માર્ગદર્શન મેળવવા કહ્યું છે.


અમદાવાદ મેડિકલ એસોસિએશને કરેલી જાહેરાત પ્રમાણે 17 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કોવિડ હેલ્પલાઈન કાર્યરત રહેશે.


અમદાવાદ મેડિકલ એસોસિએશને અખબારી યાદી દ્વારા આ જાહેરત કરતાં કહ્યું કે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ એલોપેથિક ડોક્ટરો માટેની દેશની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા છે. અમે હંમેશા નાગરિકના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) દ્વારા 15મી જાન્યુઆરીને સમુદાયની સુખાકારીના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને તેના સંદર્ભમાં અમદાવાદ મેડીકલ એશોશીએસને કોરોનાના કાળમાં સમાજનાં લોકોને સાચી સલાહ  અને માર્ગદશઁન આપવાનું નક્કી કર્યું છે.
અમે કોવિડ ચેપના નવા વેવ વિશે લોકોના પ્રશ્નો અને મૂંઝવણોના ઉકેલ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારા સભ્યો તારીખ ૧૭/૧/૨૨ થી ૩૧/૧/૨૨ ના દિવસોમાં નોબલ હેતુ માટે તેમની સેવાઓ સવાર ના ૯ થી સાંજના ૯ સુધી વિના મૂલ્યે પ્રદાન કરશે. અમારા ડોકટરોની વિગતવાર યાદી આ સાથે સામેલ છે.


સમાજના લોકો અમદાવાદ મેડિકલ એસોસિએશનની આ હેલ્પલાઈનનો લાભ મેળવી શકે એ માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા હેલ્પલાઈન સેવા માટે નિયુક્ત કરાયેલા ડોક્ટર્સના મોબાઈલ નંબર તથા ક્યા સમયે ફોન કરી શકાશ તેની વિગતો આપવામાં આવી છે. સામાન્ય લોકો પોતાને મૂંઝવતા કોઈ પણ સવાલ અંગે આ ડોક્ટરોને દર્શાવેલા સમયે ફોન કરી શકે છે.


કોવિડ હેલ્પલાઇન નંબર 


ડોક્ટર નામ, સમય અને તેના કોન્ટેક્ટ નંબર નીચે મુજબ છે


Doctors Name Mobile Time Slot
Dr.Yogesh Gupta 9925006256 9 am to 1 pm
Dr.Ashok Shah 9824044671 9 am to 1 pm
Dr.Harikrishna Desai 9327022840 9 am to 1 pm
Dr.Krishnakant Patel 9426406539 9 am to 1 pm
Dr.Mona Desai 9825016769 1 pm to 5 pm
Dr.Dhiren Mehta 9898854158 1 pm to 5 pm
Dr.Dhananjay Vyas 9723035462 1 pm to 5 pm
Dr.Dhirendra Sanandiya 9825633889 1 pm to 5 pm
Dr.Amit Shah 9898250028 1 pm to 5 pm
Dr.Mehul Shelat 9825398891 1 pm to 5 pm
Dr.Tanish Modi 9825019835 5 pm to 9 pm
Dr.Ashvin Shah 9824038816 5 pm to 9 pm
Dr.Abhay Dikshit 9327018200 5 pm to 9 pm
Dr.Atul Gandhi 8160599161 5 pm to 9 pm
Dr.Alpa Gandhi 9825065061 5 pm to 9 pm


રાજયમાં શું છે કોરોનાની સ્થિતિ







રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9177  કેસ નોંધાયા છે. બીજી તરફ 5404  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,46,375 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.39 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  7 મોત થયા. આજે 1,76,918 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2621, સુરત કોર્પોરેશનમાં 2215,  વડોદરા   કોર્પોરેશનમાં 1211,  રાજકોટ કોર્પોરેશનમાં 438, સુરતમાં 282, ભાવનગર કોર્પોરેશનમાં 250, વલસાડમાં 201, ગાંધીનગર કોર્પોરેશનમાં 218, નવસારીમાં 175, રાજકોટમાં 149. મહેસાણામાં 135, જામનગર કોર્પોરેશનમાં 121, ગાંધીનગરમાં 102, કચ્છમાં 87, વડોદરામાં 87, બનાસકાંઠામાં 81, આણંદમાં 78, પાટણમાં 77, મોરબીમાં 76, ગીર સોમનાથમાં 67, ભરૂચમાં 63, ખેડામાં 59, અમદાવાદમાં 45, ભાવનગરમાં 45, દાહોદમાં 45, સુરેન્દ્રનગરમાં 44, જામનગરમાં 40, સાબરકાંઠામાં 35, જૂનાગઢ કોર્પોરેશનમાં 32, મહીસાગરમાં 27, અમરેલીમાં 15, પંચમહાલમાં 14, દેવભૂમિ દ્વારકા 9, જૂનાગઢમાં 9, તાપીમાં 7, નર્મદામાં 6, પોરબંદરમાં 6, અરવલ્લીમાં 2, બોટાદમાં 2, ડાંગમાં 1 નવો કેસ નોંધાયો હતો. છોટા ઉદેપુરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.