અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે ૨૪ કલાકમાં નવા ૪ હજાર ૮૨૧ કેસ નોંધાયા જ્યારે ૨૨ લોકોનાં મોત થયા. આમ બે દિવસમાં કુલ ૯ હજાર ૪૫૨ નવા કેસ નોંધાયા. શહેરમાં કુલ કેસનો આંક 1 લાખ 11 હજાર 146 પર પહોંચ્યો છે. સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધી રહી છે. 20 એપ્રિલે એકિટવ કેસની સંખ્યા ૨૩ હજાર ૯૯૫ હતી. જે ૨૧ એપ્રિલે વધીને ૨૭ હજાર ૭૨૭ પર પહોંચી છે. જો કે બુધવારે 919 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ ૭૬ હજાર ૯૧૪ લોકો કોરોના મુકત થયા છે.


કેસ વધવાની સાથે માઈક્રો કન્ટેઈન્મેટ ઝોનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કુબેરનગર, સરદારનગર, ઈસનપુર, વટવા, લાંભા, નારોલ, બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, ભાઈપુરા, ઘોડાસર, આનંદનગર, સાઉથ બોપલ, ઓઢવ, દૂધેશ્વર, ચાંદખેડા, પાલડી, બોપલ, ગોતા, ચાંદલોડિયા અને બોડકદેવના 29 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે સરસપુર, વટવા, ખોખરા, ઘોડાસર, શાહીબાગ, વેજલપુર, જોધપુર, નિકોલ, ચાંદખેડા, વાડજ, વાસણા, સાબરમતી, ચાંદલોડિયા, ગોતા અને થલતેજના 37 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે. હાલ શહેરમાં 409 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી છે. નવા માઈક્રો કન્ટેનમેન્ટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે.  


રાજ્યમાં ગઈકાલે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત  કોર્પોરેશનમાં 25,  મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8,  જામનગર કોર્પોરેશન-8, વડોદરા-5,  બનાસકાંઠા-3, ભરુચ-3, જામનગર-4, પાટણ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ભાવનગર કોર્પોરેશન-3, , રાજકોટ-4, સાબરકાંઠા-3,ભાવનગર-3, ગાંધીનગર-2, સુરેન્દ્રનગર-3, આણંદ-3, મોરબી-3, મહીસાગર-2, દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 4821,  સુરત કોર્પોરેશનમાં 1849, મહેસાણા-495,  સુરત-491, વડોદરા કોર્પોરેશન-475, રાજકોટ કોર્પોરેશન- 397, જામનગર કોર્પોરેશન-307, વડોદરા-256, બનાસકાંઠા-227, ભરુચ-206, જામનગર-202, કચ્છ-200, પાટણ-185, ગાંધીનગર કોર્પોરેશન-171, ભાવનગર કોર્પોરેશન-149, તાપી-135, રાજકોટ-119, ખેડા-117, દાહોદ-115, સાબરકાઠા-112, ભાવનગર - 111, ગાંધીનગર-110, નર્મદા-110, અમરેલી-98, જુનાગઢ--95, જુનાગઢ કોર્પોરેશન-93, નવસારી-93,  પંચમહાલ-93, અમદાવાદ-85, વલસાડ-82, સુરેન્દ્રનગર-80,  આણંદ-72, મોરબી, મહીસાગર-62, ગીર સોમનાથ-61, અરવલ્લી-59, પોરબંદર-42, બોટાદ-31, ડાંગ-28, દેવભૂમિ દ્વારકા-28 અને છોટા ઉદેપુરમાં 21 લોકોના મૃત્યુ થયા હતા.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 90,93,538 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 16,22,998 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,07,16,536  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.