International Yoga Day 2022: આજે  21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. . ત્યારે ગુજરાતમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. . આ પ્રસંગે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી યોગ  કરવા પહોચ્યાં


21 જૂન વિશ્વ યોગ દિવસે અમદાવાદ શહેરમાં 10 હજાર લોકોને જોડાયા છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય નાણામંત્રી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોગા કાર્યક્રમમાં હાજર રહ્યાં માં વધુ સ્થાનિકો યોગામા જોડાય તે માટે અલગ અલગ 44 ગાર્ડનમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના અંદાજ અનુસાર એક સાથે દસ હજાર લોકો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોગા કરશે. અમદાવાદમાં સવારે 7 કલાકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વિશ્વ યોગા દિવસની ઉજવણીમાં હાજર રહેશે.


યોગ કરવાથી થાય છે અદ્દભૂત ફાયદા



  • શરીરના સાંધા, હાડકા અને સ્નાયુઓની બીમારીનો સામનો કરી રહેલા લોકો માટે યોગ મદદગાર સાબિત થઈ શકે છે.

  • હ્રદય અને રક્તવાહિની સબંધી બીમારીઓ સામાન્ય થઈ ગઈ છે. 30 વર્ષની વયે જ લોકો આ બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. જેના કારણે એટેકનું જોખમ ઘણું વધી ગયું છે. યોગ એવો વ્યાયામ છે, જે કાર્ડિયો સ્વાસ્થ્યને સુધારવા માટે ચમત્કારિક અસર દેખાડે છે. શ્વસન પ્રક્રિયાને નિયંત્રિત કરીને યોગ આપણા ધબકારને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. યોગથી આપણા શરીરમાં વધુ પ્રમાણમાં ઓક્સીજન પહોંચે છે, જેનાથી હ્રદય સ્વસ્થ રહે છે.

  • યોગ તમારૂ વજન નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. યોગ દ્વારા શરીરમાં પૌષ્ટિક તત્વોનો યોગ્ય પ્રમાણમાં વિસ્તાર થાય છે. 

  • યોગ અને ધ્યાનથી તમારૂં મન શાંત થાય છે અને તમારી કાર્યક્ષમતા વધે છે. જેનાથી તમે તમારી રોજિંદા કામોને વધારે ઉમદા તરીકે પૂર્ણ કરી શકો છો.

  • વજન નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. યોગ દ્વારા શરીરમાં પૌષ્ટિક તત્વોનો યોગ્ય પ્રમાણમાં વિસ્તાર થાય છે. જેના પગલે આપણો મેટાબૉલિક રેટ સુધરે છે. યોગથી તમે વધારે કેલેરી ખર્ચ કરો છે. જેનાથી તમારૂ વજન ઓછુ થાય છે અને ત્વચા પર ચમક આવે છે.

  • યોગ અને શ્વાસની ટેકનિકની મદદથી તમે શરીરમાં બ્લડ સર્ક્યૂલેશનને વધારે ઉમદા બનાવી શકો છો. બ્લડ સર્ક્યૂલેશન સારૂ હશે, તો તમારા શરીરના અંગોને ઓક્સીજન પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં થાય.

  • 21મી જૂન 2022ના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉર્જા સાથે ઉજવવામાં આવશે. કોવિડ-19 મહામારી જેવા કપરા સમયમાં યોગથી લોકોને ઊર્જાવાન રહેવા અને મજબૂત રોગપ્રતિકારક શક્તિને ટકાવી રાખવામાં મદદ મળી છે. આયુષ મંત્રાલય 15મી ઓગસ્ટ પાર્ક, લાલ કિલ્લા (લાલ કિલ્લા) પર સામાન્ય યોગની નવીનતાઓને પ્રદર્શિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.