હજી સુધી તેમણે માત્ર ઘર પર પાડવામાં આવેલા દરોડા સંબંધિત સવાલોનો જવાબ આપ્યો છે. મહેશ આજે સવારે લગભગ 10 વાગ્યે આયકર કાર્યાલય પહોંચી શકે છે. શાહની પૂછપરછ માટે અધિકારીઓએ તેમને શનિવારે કસ્ટડીમાં લીધા હતા અને આખી રાત પૂછપરછ કરી હતી.
રવિવારે સવારે તેમને ઘરે જવાની છૂટ આપી હતી. જો કેઈ તેમના પર હુમલાના ખતરાની આશંકા હોવાથી ઘરની બહાર બે સુરક્ષા ગાર્ડ રાખવામાં આવ્યા છે. શાહે 30 સપ્ટેમ્બરે બંધ થયેલી આઈડીએસ યોજના હેઠળ 13,860 કરોડ રૂપિયાની અઘોષિત આવકની જાણકારી આપી હતી.
ઈન્કમટેક્સ ડિપાર્ટમેંટે થોડા દિવસ પહેલા તેના ઘરે દરોડા પાડ્યા હતા. તે પછી શાહ ફરાર હતો. જે પછી એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સમક્ષ રજૂ થયા હતા જ્યાં સ્ટુડિયોમાંથી શાહની અટકાયત કરવામાં આવી હતી.
ઈંટરવ્યૂ દરમિયાન શાહે શનિવારે દાવો કર્યો હતો કે તેમણે આ ઘોષણા કમિશન માટે કરી હતી. શાહે કહ્યું કે આઈડીએસ અંતર્ગત ઘોષિત કરેલા 18,860 કરોડ રૂપિયા મારા નથી. હું આ મામલામાં સંડોવાયેલા લોકોના નામ આયકર વિભાગને આપીશ. અને ઘણા લોકોની પોલ ખૂલી જશે.