IIMAને મળ્યા નવા ચેરમેન, જાણો ક્યા બિઝનેસમેન સંભાળશે આ હોદ્દો
abpasmita.in | 23 Oct 2016 08:27 AM (IST)
અમદાવાદ: માનવ સંસાધન મંત્રાલય અને IIM અમદાવાદના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આદિત્ય બિરલા ગ્રુપના તેરમેન કુમાર મંગલમ બિરલાની નવા ચેરમેન પદે જાહેરાત કરી છે. તેઓ હવે IIMA BOG અને તેની સોસાયટીના ચેરમેન છે. બિરલા સિવાય આ પદ માટે એચડીએફસીના ચેરમેન દિપક પારેખ અને ઈંફોસિસના ચેરમેન આર. સેશાસયિના નામ હતા. બિરલા હાલ આઈઆઈટી દિલ્લીના ચેરમેન પણ છે. તેઓ ત્રણ વર્ષ માટે આઈઆઈએમના ચેરમેન રહેશે. એલએન્ડટીના ચેરમેન એએમ નાયકે સમયના અભાવના કારણે આઈઆઈએમના ચેરમેન પદેથી ગત ડિસેમ્બરમાં રાજીનામુ આપ્યુ હતું. જે બાદ ઝાયડસ કેડિલાના સીએમડી પંકજ પટેલને આઈઆઈએમના વચગાળાના ચેરમેન બનાવાયા હતા.