અમદાવાદમાં પરપ્રાંતિયોને ભડકાવવા બદલ ક્યા રાજકીય પક્ષના 6 નેતાની કરાઈ ધરપકડ ? ફોન કરીને શું કહેતા હતા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 May 2020 09:17 AM (IST)
પરપ્રાંતિઓમાં અફવા ફેલાવવા મામલે વટવા પોલીસે સ્થાનિક રાજકીય પાર્ટીના નેતાની ધરપકડ કરી છે.
અમદાવાદઃ કોરોનાના કહેરને કારણે હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે પરપ્રાંતિઓમાં અફવા ફેલાવવા મામલે વટવા પોલીસે સ્થાનિક રાજકીય પાર્ટીના નેતાની ધરપકડ કરી છે. જન સંઘર્ષ વિરાટ પાર્ટીના 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સરકાર કોઈ મદદ નહીં કરે તેવું કહી પરપ્રાંતિઓને ફોન કરીને એકત્રિત કરતા વટવા પોલીસે પકડી પડ્યા છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે જનસંઘર્ષ વિરાટ પાર્ટીના કાર્યકરો પરપ્રાતિયોને ફોન કરી અમે તમને વતન પહોંચડીશું તેવું કહી ભીડ એકત્રિત કરતા હતા. પેટ્રોલિંગના સમયે બચુભાઈના કુવા પાસેથી આ લોકો પકડાયા છે. જન સંઘર્ષ વિરાટપાર્ટીના ગુજરાત અધ્યક્ષ અર્જુન રમા શંકર સહિત 6ની ધરપકડ કરવામાં આવી છે.