ધંધુકાઃ ગુજરાતમાં હાલ લોકડાઉનને કારણે સુરતમાં અનેક રત્નકલાકારો ફસાયા છે, ત્યારે સરકાર દ્વારા લોકોને પોતાના વતન પરત ફરવાની છૂટ આપવામાં આવી છે. જેને પગલે અનેક લોકો એસ.ટી. બસ દ્વારા સૌરાષ્ટ્ર પરત ફરી રહ્યા છે. દરમિયાન આજે સુરતથી અમરેલી જઈ રેલી એસ.ટી. બસને ધંધૂકા પાસે અકસ્માત નડ્યો છે.


મળતી વિગતો પ્રમાણે ધંધુકા તાલુકાના ફેદરા ગામ પાસે એસટી બસનો અકસ્માત થયો છે. સુરતથી અમરેલી જતી એસ. ટી. બસ ખાઇમાં ઉતરી જતાં અકસ્માત થયો હતો. જેમાં દસ લોકો ઘાયલ થયા છે. જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. ધંધુકા 108 ઘટનાસ્થળે પહોંચી છે.