અમદાવાદઃ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી(પી.પી. સ્વામી) ની તબિયત વધુ લથડી છે. પહેલા ફેફસામાં ઇન્ફેક્શન બાદમાં કિડનીમાં ઇન્ફેક્શન થતાં તબિયત બગડી છે. સ્વામીજી છેલ્લા દસ દિવસથી સિમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે.


છેલ્લા ત્રણ દિવસથી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજ વેન્ટિલેટર પર છે. આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસને સતત બે દિવસ પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી છે. આમ છતાં સ્વાસ્થ્ય હજુ પણ નાજુક છે. ત્યારે આચાર્ય સ્વામીના ઈલાજ માટે ખાસ મુંબઇથી નિષ્ણાંત ડોક્ટર બોલાવાયા છે.