ગુજરાતમાં 31મી મે પછી રેડ ઝોન વિસ્તારમાં લોકોને અવર-જવરની છૂટ મળવાની શક્યતા, બીજી કઈ રાહતો મળશે? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 May 2020 09:58 AM (IST)
ગુજરાતના કન્ટેઇન્મેન્ટ એરિયામાં અવર-જવરને લઈને પણ જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, લોકડાઉન-4 પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે લોકડાઉન-5ને લઈને પણ ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદઃ કોરોના મહામારીને પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન-4 આગામી 31 મેના રોજ પૂરું થઈ રહ્યું છે, ત્યારે હવે સોમવાર, 1 જૂનથી સરકાર ગુજરાતમાં કેટલીક છૂટછાટ આપી શકે છે. ગુજરાતના કન્ટેઇન્મેન્ટ એરિયામાં અવર-જવરને લઈને પણ જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, લોકડાઉન-4 પૂરું થવા જઈ રહ્યું છે, ત્યારે લોકડાઉન-5ને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, લોકડાઉન લંબાશે કે નહીં તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે પણ પહેલી જૂનથી અમદાવાદ સહિત ગુજરાતમાં વધુ છૂટછાટ મળી શકે છે. ગુજરાત સરકાર લોકડાઉન-4 પૂરું થયા પછી સરકાર બજારો ખોલવાની છૂટ આપે તેવી શક્યતા છે. કન્ટેઈનમેન્ટ ઝોન એટલે કે રેડ ઝોનમાં લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ હટાવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલી જૂન પછી રેસ્ટોરન્ટ અને હોટેલને ચાલુ કરવાની છૂટ મળવાની શક્યતા છે. પહેલી જૂનથી દુકાનો સવારે 8થી સાંજના 6 સુધી ચાલુ રાખવાની છૂટ મળી શકે છે. લોકડાઉન-4માં સાંજના સાતથી સવારે સાત વાગ્યા સુધી લોકોની અવર-જવર પર અંકુશ રાખવામાં આવ્યો છે, તેમાં બે કલાકનો ઘટાડો કરી દેવાની શક્યતા છે.