અમદાવાદ: આજે અમદાવાદના ગોતા નજીક આવેલા ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. જેમાં 25 જેટલા લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતાં જ ફ્લેટમાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતાં જ લોકોએ બૂમાબૂમ કરી મુકી હતી. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે. આગની ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય એક ગંભીર છે.

જગતપુર પાસેના ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આગની જાણ સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી. તરત જ ફાયર બ્રિગેડની 10ની ગાડીઓ અને સ્નોરેકલ ઘટના સ્થળે પહોંચ્યા છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમાં માળે આવેલા ફ્લેટ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. આખી બિલ્ડીંગને ખાલી કરી દેવામાં આવી છે. જ્યારે 15 લોકો રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. ફસાયેલા લોકો બિલ્ડીંગની બાલ્કનીમાંથી નીચે ઉતરતાં હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં.