અમદાવાદઃ ગીર સોમનાથના ચાર માસ આ બાળકે અંતિમ શ્વાસ લીધા છે. વિવાન વાઢેલ SMA 1 નામની બીમારીથી પીડાઈ રહ્યો હતો.  વિવાનના માતા પિતા છેલ્લા ચાર મહિનાથી મિશન વિવાનનું અભિયાન ચલાવતા હતા. આ અભિયાન અંતર્ગત બે કરોડ ૧૦ લાખની ધન રાશિ એકત્રિત કરી હતી. સરકારે ૧૦ લાખની મદદ પણ કરી હતી. પરંતુ મિશન વિવાનનો દુઃખદ અંત આવ્યો છે. 


વિવાનના પિતાએ લોકોને હવે મદદ માટે ફંડ એકત્રીત ના કરવા વિનંતી કરી છે. જે સંગઠનોએ વિવાન માટે મદદ કરી છે તેમનો આભાર માન્યો હતો. વિવાન માટે એકત્રીત થયેલ રકમનો ઉપયોગ સેવાકીય પ્રવૃતિ માટે કરાશે તેની ખાતરી આપી હતી. 


Gujarat Corona Update : કોરોનાની બીજી લહેર પછી ગુજરાત માટે સામે આવ્યા અત્યાર સુધીના મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ


અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 8 જિલ્લા કોરોનામુક્ત બનતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. આ 8 જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. જ્યારે રાજ્યમાં હવે માત્ર 207 જ એક્ટિવ કેસ રહ્યા છે. તેમજ 6 જિલ્લામાં હવે એક-એક જ એક્ટિવક કેસ છે, ત્યારે તે જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. 


ગુજરાતમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. જ્યારે વલસાડ, પંચમહાલ, મોરબી, મહીસાગર, બોટાદ અને બનાસકાંઠામાં એક-એક જ એક્ટિવ કેસ છે. 

ગુજરાતમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) કેસમાં સામાન્ય વધારો થયો છે. શનિવારે 19 કેસ નોંધાયા હતા. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા  25  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 14 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,761 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 3,85,461 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,65,81,478 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


હાલમાં અત્યાર સુધી 207 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 06 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 201 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,761 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 14 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,761 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે.
 
આજે ક્યાં નોંધાયા કેસ


આજે સુરત કોર્પોરેશનમાં 5,  અમદાવાદ કોર્પોરેશનમાં 4,   અમરેલી 3, ખેડા 3,  વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ 2, આણંદ 1, જામનગર કોર્પોરેશન 1, નવસારી 1,   રાજકોટ કોર્પોરેશન 1,  અને સુરતમાં  1 કેસ નોંધાયો હતો.


ક્યાં ન નોંધાયો એકપણ કેસ


આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,  જામનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,   કચ્છ, મહિસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી વડોદરા અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો.