અમદાવાદ: ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 અને 13 જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 80થી 100 કિમીની ઝડપે પવનની સાથે ભારે વરસાદ પડશે તેવી શક્યાતઓ છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ છે. જેથી 6 કલાકમાં ભારે સિસ્ટમમાં પરિવર્તિત થઈ રહી છે.

હાલ આ સિસ્ટમ વેરાવળથી 930 કિમી દુર છે. ત્યારબાદ આ સિસ્ટમ સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. ગુજરાતના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરાયું છે. જામનગર, પોરબંદર. ઉના, જાફરાબાદ, વેરાવળ સહિતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે.

12 જૂનથી ગુજરાતમાં વરસાદની અસર શરૂ થઈ જશે. 13 જૂનના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે જણાવ્યું હતું કે, અમે સતત ગુજરાત સરકાર સાથે સંપર્કમાં છીએ.