અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આવી નવરાત્રિમાં સાર્વજનિક ગરબા યોજવા સામે ડોક્ટરો વિરોધ નોંધાવી રહ્યા છે. અમદાવાદ, સુરત પછી હવે રાજકોટના ડોક્ટર્સ પણ સાર્વજનિક ગરબાનો વિરોધ કરી રહ્યા છે. રાજકોટ આઇએમએના પ્રમુખ જય ધિરાણીએ જણાવ્યું હતું કે, વર્તમાન કોરોનાની સ્થિતિને લઈને ગરબા ન થવા જોઈએ. ગરબાને લઈને IMAએ કહ્યું ગરબાથી સંક્રમણ વધી જશે.


ગુજરાતના ડોક્ટરોના સમર્થનમાં કલાકારો પણ આવી રહ્યા છે. લોકગાયક આદિત્ય ગઢવીનું માનવું છે કે, નવરાત્રી ના થવી જોઈએ. ડિઝીટલ મીડિયમથી નવરાત્રી થાય તો તે અલગ રસ્તો છે.

પહેલા આપણે સંક્રમણ કઈ રીતે રોકી શકીએ તે વિચારવું જોઈએ. આ સિવાય ગાયક રાજલ બારોટે જણાવ્યું હતું કે, સરકાર જે નિર્ણય લે તે માન્ય છે. અન્ય કેટલાક કલાકારોએ પણ ડોક્ટરનું સમર્થન કર્યું હતું.