અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આજે સવારે જામનગરમાં વિવિધ કામોનું લોકાર્પણ કર્યા બાદ તેઓ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ પહોંચ્યા બાદ તેમણે જાસપુરમાં વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું હતું. જે બાદ તેમણે વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી બતાવી હતી અને નિરાંત ક્રોસરોડ સુધી તેમાં મુસાફરી પણ કરી હતી. મેટ્રોને લીલીઝંડી આપતા પહેલા તેમણે પ્રોજેક્ટની માહિતી પણ મેળવી હતી.


મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યપાલ ઓપી કોહલીએ પણ મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનમાં મોદીએ બાળકો સાથે સંવાદ કર્યો હતો, ઉપરાંત લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.


અમદાવાદ મેટ્રો ટ્રેનનું ભાડું નક્કી કરવામાં આવ્યું, જુઓ વીડિયો


PM મોદીએ લીલીઝંડી આપેલી ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેનના પાયલટે શું કહ્યું ? જુઓ વીડિયો