અમદાવાદઃ આગામી 4 જુલાઇ 2019 ને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રાનું અમદાવાદમાં વિશેષ મહત્વ છે. એબીપી અસ્મિતા પર તેનું આખો દિવસ લાઇવ કવરેજ બતાવવામાં આવશે. આ રથયાત્રા સાથે એબીપી અસ્મિતાનો રથ પણ જોડાવાનો છે. આ રથયાત્રાને યાદગાર બનાવવા માટે એબીપી અસ્મિતાના રથ સાથે તમારી સેલ્ફી લઈને અમને વોટ્સએપ નંબર 7567009911 ઉપર મોકલો. આ ફોટો અમે એબીપી અસ્મિતાની વેબસાઇટ abpasmita.in પર મૂકીશું. એ રીતે આ રથયાત્રા તમારા માટે જીવનભરનું સંભારણું બની જશે.