અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પાસે મોટી દુર્ઘટના ઘટના ઘટી છે. લિફ્ટના નિર્માણ દરમિયાન માચડો તૂટતાં 7 લોકોના મોત નીપજ્યા છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટી પાસે નિર્માણાધીન બ્લિડિંગના લિફ્ટના નિર્માણ દરમિયાન માચડો તૂટતા 7 શ્રમિકોના મોત નીપજ્યા છે. એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં  સાતમા માળેથી લીફટ તૂટતા 7 શ્રમિકોના મોત નીપજ્યા છે. બિલ્ડીંગનું બાધકામનું ચાલી રહ્યું હતું.





આજે સવારે 9 વાગ્યાની આસપાસ એસ્પાયર 2 નામની બિલ્ડીંગમાં આ દુર્ઘટના ઘટી હતી. ઘોઘંબાના રહેવાસી મજૂરો કામ કરતા હતા. દરમિયાન લિફ્ટ તૂટતા તેઓ નીચે પટકાયા હતા. અત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી. આ પછી અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છીએ. અહીંયા સ્થળ તપાસ માટે આવ્યા છીએ પરંતુ કોઈપણ પ્રકારના જવાબદાર અધિકારી હાજર નથી.






લિફ્ટ તૂટી ત્યારે કુલ આઠ લોકો પડ્યાં હતાં. જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડ્યાં હતાં. બાકીના 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતાં.   સેન્ટિગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેઓ નીચે પડ્યા હતા. 


મૃતક શ્રમિકો


સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​​​​​​​​


જગદીશભાઈ રમેશભાઈ નાયક


અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​​​


મુકેશભાઇ ભરતભાઇ નાયક​​​​​​​


રાજમલ સુરેશભાઇ ખરાડી


પંકજભાઇ શંકરભાઇ ખરાડી


Jammu & Kashmir : પૂંચમાં મિનિ બસને નડ્યો અકસ્માત, 11 લોકોના મોત


Jammu & Kashmir : પૂંચના સવજીયન વિસ્તારમાં મિનિ બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત નીપજ્યા છે. આર્મ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. અનેક ઘાયલોને સારવાર માટે મંડિની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ વિગતો આવી રહી છે. આ વિગતો એએનઆઇને મંડીના તેહસિલદાર શેહઝાદ લતિફે આપી છે. 
Gujarat Election : ઉમેદવારોની જાહેરાત સાથે AAPમાં કકળાટ શરૂ, પૈસાના જોરે ટિકિટ મળતી હોવાનો આક્ષેપ
અમદાવાદઃ ઉમેદવાર જાહેર થતાં જ આમ આદમી પાર્ટીમાં કકળાટ શરૂ થયો ચે. વેજલપુરના ઉમેદવાર સામે શહેર ઉપપ્રમુખની નારાજગી સામે આવી છે. અમદાવાદ આપના ઉપપ્રમુખ શાકિર શેખે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. કલ્પેશ પટેલે પૈસાના જોરે ટિકિટ મેળવી હોવાનો શાકિર શેખનો આક્ષેપ છે. આમ આદમી પાર્ટી પોતાના મુદ્દાઓથી ભટકી રહી છે.


કાર્યકરોની બાદબાકી કરી આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હોવાનો આક્ષેપ શેખે કર્યો છે. કલ્પેશ પટેલ આપનો કાર્યકર પણ નથી છતાં પૈસાના જોરે ટિકિટ આપી. અમદાવાદમાં આપને એકપણ બેઠક નથી મળવાની. હજુ ઘણા આગેવાનો અને કાર્યકરો નારાજ છે. આગામી દિવસોમાં આપના આગેવાનો અને કાર્યકરો રાજીનામા આપશે.


Kutch: માંડવીનું જહાજની ઓમાનના દરિયામાં જળ સમાધિ, 12 ખલાસીઓનો ચમત્કારિક બચાવ
કચ્છઃ માંડવીના અલ યાસીન જહાજે ઓમાનના દરિયામાં લીધી જળ સમાધિ છે. 12 ખલાસીને માછીમારોએ બચાવ્યા. દુબઇથી જનરલ કાર્ગો ભરીને યમન જઇ રહેલા માંડવીના અલ યાસીન નામનું જહાજ વાવાઝોડાની ઝપેટમાં આવતાં ઓમાનના દરિયામાં જળ સમાધિ લીધી. જહાજમાં સવાર સલાયાના તમામ 12 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો.


એમએનવી 2153 નંબર વાળું આ જહાજ દુબઇથી તા. 10/9ના 700 ટન જનરલ કાર્ગો ભરીને નીકળ્યું હતું. મંગળવારે ભારતીય સમય મુજબ બપોરે 2.30 કલાકે ઓમાનના રાસલાદ સમુદ્રમાં અચાનક વાવાઝોડું ફૂંકાતાં જોતજોતામાં જહાજે જળ સમાધિ લીધી. માંડવી તાલુકાના સલાયા ગામના 12 ખલાસીઓની વહારે એક ફિશિંગ બોટ આવી હતી અને તમામને બચાવી લીધા.