અમદાવાદઃ "કોવિડ-૧૯" સામેની લડાઈના ભાગ રૂપે  બોપલ અને આમલી વિસ્તારની બે મોટી સોસાયટીનુ સેનિટાઈઝેશન "ચિરીપાલ ગૃપ"ના સહયોગથી  "શાંતિ એશિયાટીક સ્કૂલ"દ્વારા કરવામાં આવ્યું  હતુ, આ કામગિરી સેનિટાઈઝેશનના આધુનિક સાધનોથી સજ્જ  અનુભવી અને જાણકાર ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.


હાલમાં જ "ચિરીપાલ ગૃપ" દ્વારા અમદાવાદના લગભગ 8 સ્થલ નું સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે, આ ઊપરાંત ચિરીપાલ ગૃપ દ્વારા ૫૦૦૦૦ થી વધુ સર્જીકલ માસ્ક, ૨૦૦૦૦ થી વધુ ટોવેલ, ૫૦૦૦૦ થી વધુ સેનિટાઈઝર, ૫૦૦૦૦ થી વધુ ફૂડ પેકેટ, અને ૨૫૦૦ થી વધુ પરિવારોને રાશન કિટનું વિતરણ કરવામા આવ્યું હતું.