અમદાવાદઃ સુદામા એસ્ટેટમાં લાગી આગ, ફેક્ટ્રીમાં લાખોનું નુક્સાન
abpasmita.in | 27 Oct 2016 09:24 AM (IST)
અમદાવાદઃ સરખેજ-વિસાલા રોડ પર આગ લાગ્યાની ઘટના બની છે. સુદામા એસ્ટેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુદામા એસ્ટેટમાં આગ લાગ્યાની જાણ થતા જ 15થી વધુ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આગને લીધે જો કે હજી સુધી આગ કાબૂમાં આવી નથી. આગ લાગ્યાનું કારણ પણ હજી સુધી જાણી શકાયુ નથી. આગને કારણે મોટુ નુક્સાન થયાની પણ શક્યતા છે.