અમદાવાદ શહેરમાં ચૂંટણીઓ પહેલા ખાનગી હોસ્પિટલોમાં 100 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. જો કે 22 માર્ચના સોમવારની સ્થિતિએ કોવિડ દર્દીઓની સંખ્યા વધીને 900ને પાર થઈ ગઈ છે. સોમવારની સવારની સ્થિતિએ શહેરની 64 ખાનગી હોસ્પિટલોમાં 903 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી 58 દર્દીઓ વેન્ટીલેટર પર છે.


અમદાવાદ શહેરની 64 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2 હજાર 341 બેડની ક્ષમતા છે. અચાનક કોરોનાના કેસ વધી જતા હવે કોવિડ હોસ્પિટલોના 903 બેડ ભરાઈ ગયા છે. હવે 1 હજાર 438 બેડ ખાલી છે. ખાનગી હોસ્પિટલોના આઈસોલેશન વોર્ડમાં 384 બેડ ભરાઈ ગયા છે. હવે 635 બેડ ખાલી રહ્યા છે. એચડીયુમાં 316 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 462 બેડ અત્યારે ખાલી છે.


આઈસીયૂ વોર્ડમાં 145 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો 212 બેડ ખાલી છે. જ્યારે અસારવા સિવિલ અને સોલા સિવિલમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. અસારવા સિવિલમાં કોવિડના 189 અને સોલા સિવિલમાં 47 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સંખ્યા વધતા સિવિલમાં 418 બેડ તૈયાર રખાયા છે. અગાઉ કેસ ઘટી જતા 1200 બેડની હોસ્પિટલના વોર્ડ બંધ કરી દેવાયા હતા.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348, લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73  લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4454 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4  લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


અમદાવાદ કોર્પોરેશનમાં 481, સુરત  કોર્પોરેશનમાં 429, વડોદરા કોર્પોરેશનમાં 139, રાજકોટ કોર્પોરેશનમાં 126, સુરતમાં 54, ખેડા 41, રાજકોટ 26, ભાવનગર કોર્પોરેશન -23, દાહોદ 23 , પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 22, વડોદરા 20, ગાંધીનગર કોર્પોરેશન 19, કચ્છ 17, મોરબી 17, નર્મદા 16, ગાંધીનગર 15, પાટણ 15, ભરૂચ 14, મહેસાણા 12, અમરેલી 10, આણંદ 9, ભાવનગર 9, જુનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને નવસારી 8-8 કેસ નોંધાયા હતા.


ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?


અમદાવાદ કોર્પોરેશનમાં 351, સુરત કોર્પોરેશનમાં 296, વડોદરા કોર્પોરેશનમાં 92, રાજકોટ કોર્પોરેશનમાં 81, સુરતમાં 13, ખેડા 22, ભાવનગર કોર્પોરેશન 16, પંચમહાલમાં 7, સાબરકાંઠા 5, મહેસાણા 27, રાજકોટ 16, વડોદરા 22, જામનગર કોર્પોરેશન 16, કચ્છ 11, અમદાવાદ 5 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.



કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 32,74,493 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,03,693 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 2,32,831 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,22,186 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.