અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગે અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. 10 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જ્યારે  2 SPSની પણ બદલી કરવામાં આવી છે. આમ ગૃહ વિભાગે કુલ 12 અધિકારીઓની બદલી કરી છે. લોકસભા ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.








તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે.


રાજ્યના 12 IPS અધિકારીઓની બદલી 



  • શરદ સિંઘલને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના JCP તરીકે નિયુક્તિ 

  • નીરજ બડગુર્જરને ફરીથી અમદાવાદ સેક્ટર-1 એડી. CP બનાવાયા 

  • ચૈતન્ય માંડલિક ગાંધીનગર CID ક્રાઈમ SP તરીકે નિયુક્તિ 

  • અજીત રાજીયન અમદાવાદ શહેર ક્રાઈમના DCP બનાવાયા 

  • ડો. લવીના સિન્હા અમદાવાદ શહેર સાયબર ક્રાઈમના DCP 

  • હિમાંશુ વર્માને અમદાવાદ DCP ઝોન-1 તરીકે નિમણુંક

  • પોસ્ટિંગની રાહમાં રહેલા ગગનદીપ ગંભીરની IGP(એડમિનિસ્ટ્રેટિવ)તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

  • રાઘવેન્દ્ર વત્સની સુરત શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર(ક્રાઈમ) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

  • મનીષસિંઘની મોટર ટ્રાન્સપોર્ટના એસપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

  • ઉષા રાડાની SRPF, ગ્રૂપ-6(મુડેટી,સાબરકાંઠા)ના કમાન્ડન્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.


 


તમને જણાવી દઈએ કે, આજરોજ ચૂંટણી પંચે કરેલા આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમમાં વેઇટિંગ ફોર પોસ્ટિંગ અને ઇન્ચાર્જ જગ્યાઓ ભરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમાં પણ અમદાવાદ શહેરની ત્રણ જગ્યા પર પોસ્ટિંગ તેમજ શરદ સિંઘલ, ભારતી પંડ્યા, ઉષા રાડા અને ચૈતન્ય માલિકને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાંથી ચાર્જ સોંપવામાં આવ્યો છે. એટલે કે, હવે તેમને નવી નિમણૂંક મળી ગઈ છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ચૂંટણી હોવાના કારણે જે પોસ્ટ ખાલી હતી તે હવે ભરી દેવામાં આવી છે. જેના કારણે અમદાવાદ શહેરને મહત્વની પોસ્ટ ગણાતા વિસ્તારમાં અધિકારીઓની નિમણૂંક થઇ ગઈ છે.


આ પહેલા 14 એપ્રીલના રોજ IPS અધિકારીઓની બદલી બઢતીના આદેશ અપાયા હતા


લોકસભા ચૂંટણી પહેલા  રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  મળતી માહિતી મુજબ  ગૃહ વિભાગે IPSની બદલી અને પ્રમોશનના  35 ઓર્ડર કર્યો હતો. જેમાં અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર  બનાાયા હતા. નરસિમ્હા કોમર વડોદરાના નવા પોલીસ કમિશનર  બનાવાયાયા હતા. જે.આર.મોથલિયા અમદાવાદ રેન્જના આઈજી,ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ આઈજી, ઈમ્તિયાઝ શેખને છોટાઉદેપુરના SP બનાવાયા હતા. 


ઉલ્લેખનિ છે કે, હસમુખ પટેલ સહિત 20 IPSને પ્રમોશન  આપવામાં આવ્યું હતું. જી.એસ.મલેકને ડીજી તરીકે બઢતી  કરાઇ હતી. ADGP એવા ચાર IPSની DG તરીકે બઢતી કરી હતી. નરસિમ્હા કોમર વડોદરા સીપી તરીકે  ચાર્જ લેશે.  ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય એસપી,આર.વી.અસારીનું પંચમહાલ ગોધરા રેન્જ આઈજી તરીકે પ્રમોશન  થયું. આર.વી.અસારીનું DIGથી આઈજી તરીકે પ્રમોશન થયું. મનોજ અગ્રવાલનું DGP તરીકે પ્રમોશન,ડૉ.કે.એલ.એન.રાવનું DGP તરીકે પ્રમોશન, તો સુનિલ જોશીનું DIG તરીકે પ્રમોશન થયું. તરૂણ દુગ્ગલ મહેસાણાના SP બન્યા. શિવમ વર્મા અમદાવાદ ઝોન-7ના DCP બન્યા. ગૌરવ જસાણીને  આણંદના SP બનાવાયા. મહેન્દ્ર બગરીયાનું DIG તરીકે પ્રમોશન થયું. દિપક મેઘાણીનું DIG તરીકે પ્રમોશન થયું. લીના પાટીલનું DIG તરીકે પ્રમોશન થયું. સ્વેતા શ્રીમાળીનું પણ  DIG તરીકે પ્રમોશન થયું. નિર્લિપ્ત રાયનું DIG તરીકે  અને કે.એન.ડામોરનું DIG તરીકે પ્રમોશન થયું. એસ.જી.ત્રિવેદીનું ADGP તરીકે પ્રમોશન થયું. નિલેશ જાજડીયાનું IGP તરીકે પ્રમોશન થયું છે. બિપીન આહિર, શરદ સિંઘલ અને પી.એલ.મલનું IGP તરીકે પ્રમોશન થયું .