Ahmedabad Firing: રાજ્યમાં અત્યારે નવરાત્રીની ધૂમ ચાલી રહી છે. ખેલૈયાઓ મન મુકીને ગરબા રમી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક લુખ્ખા તત્વોનો આતંક પણ જોવા મળ્યો છે. તાજેતરમાં જ અમદાવાદમાં એક ગરબા મંડળીમાં ખેલૈયાઓ રમી રહ્યાં હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વોઓ ફાયરિંગ કરતાં અફડાતફડી મચી ગઇ હતી. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 


ગઇકાલે રાત્રે અમદાવાદ શહેરના ઓગણજ ગામમાં ચાલી રહેલા એક ગરબામાં આ ઘટના ઘટી છે. ઘટનાની વિગતો એવી છે કે, અમદાવાદમાં ઓગણજમાં એક મંડળી ગરબાનું આયોજન થયુ હતું, અહીં ખેલૈયાઓ મન મુકીને ગરબા રમી રહ્યાં હતા, તે દરમિયાન મોડી રાત્રે બે જૂથો વચ્ચે જોરદાર બબાલ થઇ હતી, આ માથાકૂટ એટલે હદે પહોંચી કે વહેલી સવારે એક શખ્સે હવામાં ફાયરિંગ કરી દીધુ હતુ. જોકે, સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ધોરણે ફાયરિંગ કરનાર શખ્સને ગરબા સ્થળેથી દુર ખસેડી દીધો અને મંડળી ગરબાના આયોજકોએ મંડળી ગરબાને બંધ કરાવ્યા હતા. ખાસ વાત છે કે, અહીં મોટા પ્રમાણમાં લોકો ગરબા રમી રહ્યાં હતા. 


ઓગણજ ગરબામાં થયેલી માથાકૂટ મામલે પોલીસની સ્પષ્ટતા - 
ગઇકાલે રાત્રે અમદાવાદ શહેરનાં ઓગણજમાં ચાલુ ગરબામાં બે જૂથો વચ્ચે ફાયરિંગ થયુ હતુ, એવી વાત સામે આવી હતી, હવે મામલે પોલીસે ખુદ સ્પષ્ટતા કરી છે.


આ ઘટના અંગે સોલા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ. મુકેશભાઇ મો.નં. ૬૩૫૯૬ ૨૫૧૪૫ પર પુછતા જણાવે છે કે, આજરોજ સવારે કલાક ૦૬/૧૫ આસપાસ ઓગણજ સર્કલ પાસે આવેલી મંડળી ગરબામાં બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી ઝગડો થયેલો અને ત્યાં હાજર બાંઉચરો દ્વારા તાત્કાલીક ઝગડો શાંત પાડેલો, તેમજ ફાયરિંગ બાબતે પોલીસને કોઇ કૉલ કે મેસેજ હજુ સુધી મળેલો નથી. પોલીસ દ્વારા આયોજકોનો સંપર્ક કરી વધુ માહિતી મેળવવાની કામગીરી હાલ ચાલુ છે. તેમજ સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગરબા આયોજકો દ્વારા ફાયરીંગ તેમજ ઝગડા બાબતે કોઇ જાણ કરવામાં આવેલી નથી. વધુ પોલીસ તપાસ ચાલુ છે. 


રાજકોટમાં ગરબાની મંજૂરી મળેલા પાર્ટી પ્લૉટમાં ગરબાને બદલે થઇ ડાન્સ પાર્ટી, લોકો શકીરાના ગીતો પર ઝૂમ્યા


આજકાલ શેરી ગરબાની સાથે સાથે ક્લબ અને પાર્ટી ગરબાનો પણ  ખુબ ક્રેઝ વધ્યો છે. મોટા મોટા શહેરોમાં શેરી ગરબા નથી રહ્યાં પરંતુ તેનું સ્થાન પાર્ટીક્લબોએ લઇ લીધુ છે. તાજેતરમાં જ રાજકોટમાં આવેલા નીલ સિટી ક્લબમાં ગરબાની મંજૂરી મળી, તંત્ર દ્વારા અહીં ગરબાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ માતાજીની આરાધનાને બદલે અહીં હૉલીવુડ ફિલ્મો અને હૉલીવુડ સિંગર શકીરાના ગીતો પર ગરબાને બદલે ડાન્સ પાર્ટી કરાઇ હતી. અહીં બિલકુલ 31 ડિસેમ્બરની પાર્ટી જેવો માહોલ જોવા મળ્યો હતો. માહિતી પ્રમાણે, રાજકોટમાં જ્યાં ડાન્સ પાર્ટી થઇ તે નીલ સિટી ક્લબના માલિક ઇન્દ્રનિલ રાજ્યગુરુ છે અને અહીં આયોજકો દ્વારા જાણીજોઇને ગરબાને બદનામ કરવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. 


આ પણ વાંચો


Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી