અમદાવાદ: અમદાવાદના વિશાલા સર્કલ પાસે પાણીની પાઈપલાઈનની કામગીરી દરમિયાન બેના મોત થયા છે. પાણીની લાઈન નાખવાની કામગીરી દરમિયાન પટકાતા બે લોકોના મોત થયા છે. ફાયર વિભાગની બે ટીમે બંનેના મૃતદેહને બહાર કાઢ્યા અને ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ પણ ધટના સ્થળ પહોંચી હતી. પાણીની પાઇપ લાઇનમાં જોડાણની કામગીરી દરમિયાન ધટના બની હતી. પાણીની લાઇનમાં ઉંધા માથે પટકાતા ધટના બની હતી. માથામાં વાગતા મોત થયું છે. ફાયર વિભાગની બે ટીમ ધટના સ્થળે પહોંચી હતી. આ ઘટના અંગે જાણ થતા પોલીસની ટીમ પણ પહોંચી હતી. 25થી 30 વર્ષના બે લોકોના મોત થયા છે.