થર્ટી ફર્સ્ટની રાતે અમદાવાદમાં ખેલાયો ખુની ખેલઃ 6 ગોળી ધરબીને કરી નાંખી યુવકની હત્યા
ગઈ કાલે 31મી ડિસેમ્બરની રાતે 8 વાગ્યે ઓઢવના અર્બુદાનગર જયશ્રી ટેનામેન્ટમાં રહેતો જશવંતસિંહ રામનરેશસિંહ રાજપુત રાધે ચેમ્બર્સમાં હાજર હતો. આ સમયે જ બે શખ્સો ચેમ્બર્સમાં ધસી આવ્યા હતા. તેમજ જશવંતસિંહ કંઇ સમજે તે પહેલા જ ઉપરા-ઉપરી છ ગોળીઓ મારી દીધી હતી.
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર.
અમદાવાદઃ શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રે જ ખુની ખેલ ખેલાયો હતો. વસ્ત્રાલમાં રાધે ચેમ્બર્સમાં બે શખ્સોએ ઉપરા-ઉપરી છ ગોળી મારીને સિક્યુરીટી ગાર્ડની હત્યા કરી નાંખી હતી. રામોલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરીને બંને આરોપીઓને હથિયાર સાથે ઝડપી લીધા છે. નાણાની લેવડ-દેવડમાં હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે 31મી ડિસેમ્બરની રાતે 8 વાગ્યે ઓઢવના અર્બુદાનગર જયશ્રી ટેનામેન્ટમાં રહેતો જશવંતસિંહ રામનરેશસિંહ રાજપુત રાધે ચેમ્બર્સમાં હાજર હતો. આ સમયે જ બે શખ્સો ચેમ્બર્સમાં ધસી આવ્યા હતા. તેમજ જશવંતસિંહ કંઇ સમજે તે પહેલા જ ઉપરા-ઉપરી છ ગોળીઓ મારી દીધી હતી. જેમાં સિક્યુરિટી ગાર્ડને માથે, ગળાના ભાગે તથા શરીરના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેનું ત્યાં જ મોત નીપજ્યુ હતું.
આ અંગે પોલીસને જાણ થતા રામોલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને શખ્સોને ઝડપી લીધા હતા. આ હત્યા પ્રકરણમાં પોલીસે વસ્ત્રાલમાં માધવપાર્ક વિભાગ-૨માં રહેતા અર્પણ જયપ્રકાશ પાંડે(૩૨) અને મેમ્કો ભાર્ગવ રોડ પર આવેલા દેવીકૃપા ટેનામેન્ટ વિભાગ-૨માં રહેતા સુશીલસિંહ રામવિલાસસિંહ ઠાકુરને ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર અને ચાકુ કબ્જે કર્યા હતા. સિક્યુરિટી ગાર્ડની નાણાની લેવડદેવડમાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
Continues below advertisement