અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં સગીરાને તેના કાકા જ ભગાડી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વાતની જાણ થતાં જ પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું અને તાત્કાલિક સગીરાના પિતાએ પોતાના પિતરાઈ ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.


અમદાવાદનો એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. સગીરાને તેના 25 વર્ષિય કાકા જ ભગાડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. કાકા ઘરેથી કાચ રિપેર કરવાનું બહાનું બતાવીને સગીરાને લઈને નીકળ્યા હતાં પછી તેને લઈને પલાયન થઈ ગયા હતાં. આ સમગ્ર મામલાની જાણ સગીરાના પરિવારજનોને થતાં પરિવારના સભ્યો ચિંતામાં મુકાઈ ગયા હતાં.

આ સમગ્ર ઘટના અંગે સગીરાના પિતાએ પોતાના જ પિતરાઈ ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ વટવા પોલીસે અપહરણનો ગુનો નોંધાવી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.