અમદાવાદઃ શ્રી ભાગવત વિદ્યાપીઠ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી  પૂજ્ય દાદાજી પુણ્યતિથિ 15/5/2019 ના રોજ થી 30/5 /2019 સુધી શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનું પુણ્યપ્રિય સ્મરણ પર્વનુ આ અલૌકિક આયોજન કરવામાં આવ્યું છે.


જે કથા સોશીયલ મીડિયા દ્વારા લાઇવ કરવામાં આવશે. પુણ્ય-સ્મરણ વિશ્વવંદનીય કૃષ્ણશંકર શાસ્ત્રીજી તથા નરેન્દ્રભાઈ પાઠક તથા યોગેશભાઈ શાસ્ત્રીજી તથા ઉદયનભાઈ શાસ્ત્રીજી શ્રી પ્રદ્યુમન શાસ્ત્રીજીના પુણ્યપ્રિય સ્મરણ પર્વ તરીકે શ્રીમદ ભાગવતજીનું આયોજન કરવામાં આવેલું છે.

સોલા ભાગવત વિદ્યાપીઠના ફેસબુક પેઈજ પર જોડાઈને સાંજે 4 થી 5 અને 5:30થી 6:30 લાઇવ કથાનું શ્રવણ કરી શકશો, તથા રોજ સવારે સાત વાગ્યે અને ૧૧ વાગ્યે વીઆર લાઈવ પર નિહાળી શકશો.