અમદાવાદમાં 'મિની બાંગ્લાદેશ' તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓપરેશન ક્લિન શરૂ કર્યું હતું. ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પડાશે. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપાએ સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું હતું.

Continues below advertisement


અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના અડ્ડા પર સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયું હતું. ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું હતું. ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને વસાવવા પાછળ માસ્ટરમાઇન્ડ મહેમૂદ પઠાણ ઉર્ફ લાલા બિહારી છે.


લાલા બિહારીએ 2 હજાર વારમા આલિશાન રિસોર્ટ બનાવ્યો


ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી. દબાણ માફિયા લાલા બિહારીના ફાર્મ હાઉસ પર AMCની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી. લાલા બિહારીએ 2 હજાર વારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામા આવી હતી. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, અને ફુંવારા જોવા મળ્યા હતા.


મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. મહેમૂદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમૂદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો.


બાંગ્લાદેશી મહિલાઓ પાસે કરાવતો દેહવ્યાપાર


અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મહેમૂદ પઠાણને લઈ મોટો ખુલાસો કર્યો હતો. તે બાંગ્લાદેશી મહિલાઓને દેહવિક્રયમાં ધકેલતો હતો. બાંગ્લાદેશી મહિલાઓને દેહ વેચવા માટે મજબૂર કરતો હતો. મહેમૂદ પઠાણ બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો.


લાલુ બિહારીએ અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપ્યો હતો. ઓપરેશન શરૂ થાય તે પહેલા જ લાલુ બિહારી ભાગી છૂટ્યો હતો. પોલીસે રિસોર્ટમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. લાલુ બિહારી CAAના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલાનો આરોપી છે. ગેરકાયદે બાંગ્લાદેશીના ગઢ સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 2 હજારથી વધુ પોલીસ અધિકારી- કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડ્રોનની મદદથી સમગ્ર કાર્યવાહી પર નજર રાખવામાં આવી રહી છે. ગૃહરાજ્યમંત્રી સતત અમદાવાદ પોલીસ કમિશનરના સતત સંપર્કમાં છે. અમદાવાદના ચંડોળા તળાવમાં એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવા પ્રશાસનનું આયોજન છે. કાચા મકાન,પાકા મકાન,ઝૂંપડીઓ,ધાર્મિક સ્થાન સહિતની મિલકતો તોડી પાડવામાં આવશે.