gujarat rain:અંબાલાલના આંકલન મુજબ આગામી 14થી22માં અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે, તારીખ 17, 18 અને 19ના રોજ દરિયા કિનારે ભારે પવન ફૂકાશે, આગામી 22 અને 23ના રોજ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા છે. બંગાળના વાવાઝોડાના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે સાથે  વરસાદની શક્યતા  વ્યકત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના આંકલન મુજબ  10, 11 અને 12માં ભાવનગર અને ખંભાત ઉપર વાદળ ઘેરાશે તો 12મી તારીખ સુધીમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ખંભાત અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા  છે. હાલ વરસાદે વિરામ લેતા ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં અંબાલાલના આંકલન મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં સખત ગરમી વચ્ચે હવામાન પલટાશે. દિવાળી સુધીમાં ગરમીનો પારો 48થી49 ડિગ્રી સુધી જશે.

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે
હવામાન નિષ્ણાત અંબાલાલના આંકલન મુજબ આ અરસામાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, આ સિસ્ટમ અરબી સમુદ્રમાં મર્જ થશે  અને 14થી22 તારીખમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠે  તારીખ 17 અને 18માં દરિયા કિનારે ભારે પવન ફુકાશે. 16, 17 અને 18માં દેશના ઉત્તરીય ભાગોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. અંબાલાલના આંકલન મુજબ તારીખ 24 અને 25માં બીજો પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે ગુજરાતમા વાદળછાયું વાતાવરણ રહેશે,  



ગુજરાત આસપાસ 2 વાવાઝોડાની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની  આગાહી કરી છે. ગુજરાત આસપાસ 2 વાવાઝોડાનું અનુમાન છે.
અંબાલાલના આંકલન મુજબ આગામી 14થી22માં અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે, તારીખ 17, 18 અને 19ના રોજ દરિયા કિનારે ભારે પવન ફૂકાશે, આગામી 22 અને 23ના રોજ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા છે. બંગાળના વાવાઝોડાના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે સાથે  વરસાદની શક્યતા  વ્યકત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના આંકલન મુજબ  10, 11 અને 12માં ભાવનગર અને ખંભાત ઉપર વાદળ ઘેરાશે તો 12મી તારીખ સુધીમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ખંભાત અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા  છે. હાલ વરસાદે વિરામ લેતા ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં અંબાલાલના આંકલન મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં સખત ગરમી વચ્ચે હવામાન પલટાશે. દિવાળી સુધીમાં ગરમીનો પારો 48થી49 ડિગ્રી સુધી જશે.

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે
હવામાન નિષ્ણાત અંબાલાલના આંકલન મુજબ આ અરસામાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, આ સિસ્ટમ અરબી સમુદ્રમાં મર્જ થશે  અને 14થી22 તારીખમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠે  તારીખ 17 અને 18માં દરિયા કિનારે ભારે પવન ફુકાશે. 16, 17 અને 18માં દેશના ઉત્તરીય ભાગોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. અંબાલાલના આંકલન મુજબ તારીખ 24 અને 25માં બીજો પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે ગુજરાતમા વાદળછાયું વાતાવરણ રહેશે.  

અંબાલાલના અનુમાન મુજબ શરદ પૂનમથી દેવ દિવાળી સુધીમાં હવામાનમાં સતત પલટો આવશે. 23 ઓકટોબરથી બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂકાશે. તારીખ 18, 19 અને 20માં અરબી સમુદ્રમાં ભારે વાવાઝોડું ફુકાશે, ગુજરાતના હવામાનમાં પલટો થતાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલના આંકલન મુજબ 25 અને 26ના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર 30 ઓક્ટોબર સુધી રહેશે