મૃતકને અંતિમવિધિ માટે વિદ્યાનગર સ્મશાન ગૃહ ખાતે લઈ જતાં અહીંના રહીશોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, ખંભાત પાલિકાના પ્રમુખની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિદ્યાનગર હરિઓમ નગરમાં એક હજારથી વધુના ટોળાએ પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. આ પથ્થરમારામાં બે પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી.
તોફાનીઓને કાબૂમાં લેવા આણંદ એલસીબી, આણંદ ટાઉન પોલીસ, વિદ્યાનગર પોલીસ, એસઓજી આણંદ તેમજ આણંદ જિલ્લા એસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તોફાની ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસનાં સેલ છોડ્યા હતા. પોલીસે સરકારી કામમાં દખલ કરવાના ગુનો તોફાની ટોળા સામે નોંધવાની તજવીજ હાથ ધરી છે.